ll ૐ ll
નવલકથા …અનોખી સફર..અમાવાસ્યાંથી પૂર્ણિમા સુધી..
પ્રસ્તાવના….
અમાવાસ્યાથી પૂર્ણિમા સુધીની એક અનોખી સફર...આ નવલકથામાંકરીશું. કાળની ગતિ સમયના
સ્થિ તિ સંજોગો માનવની માનસિ કતા સ્વભાવ ઈચ્છાઓ કામનાઓ ઈર્ષા , અપમાન,પ્રેમ,લાગણી, સુરક્ષા,
સલામતી,સ્વમાન બધાથી ઘેરાયેલો માનવ ક્યારેક અંધારાના આંચળામાંથી કુદરતની કૃપા કેખુદના યત્ન
પ્રયાસથી બહાર નીકળે છે અથવા કોઈ નિમિત્ત બને છે..
આ નવલકથામાં નાયક નાયિકા વિદેશની ભૂમિમાં એકમેકના પરિચયમાં આવ્યા બાદ આકર્ષાય છે
પ્રેમમાં પડે છે. નાયક પોતાની ઈચ્છાઓ આકાંક્ષાઓ અને મનોરથોને સાકાર કરવા પ્રયત્ન કરે છે…મહેનત કરે
છે.પરિણયમાં રંગાયા પછી નાયિકા પાસે અપેક્ષા રાખે છે કે એ હકારાત્મક બધામાં સાથ આપે.એક નવી ઊંચાઈ
આંબવા પગલામાં પગલાં સમાવે.
“આકાંક્ષા કે મનોરથો” એ પોતાનું સર્જન ..એક મહત્વકાંક્ષા હોય છે..પરંતુ“અપેક્ષા” બીજાઓથી હોય છે.
જ્યાં બીજાઓ ઉપર આધારની વાત આવે ત્યારે અપેક્ષામાં આશા,આગ્રહ,નિરાશા,ઈર્ષા ,દગો,આઘાત, વિશ્વાસઘાત ,પ્રેમ, વિવાદ,દલીલ,વિરહ, પીડા, વગેરે તત્વો અસરકર્તા બને છે જે આ નવલકથામાં પરોવેલા..વણેલા..છે.
નાયક પોતાની સબળ,પ્રબળ આકાંક્ષાઓ સાથે મનોરથો સાથે જીવનમાં આગળ વધવા માંગે છે…એવીજ રીતે
નાયિકાની પણ ઈચ્છાઓ મહત્વકાંક્ષા છે. નાયક કુદરત પ્રેમી..ગીત સંગીત પ્રેમી છે..પ્રેમ માટે પાગલ છે એણે પ્રેમને ઈશ્વરનો દરજ્જો આપ્યો છે એના માટે પ્રેમજ સર્વસ્વ છે એ પ્રેમની દેવીને સમર્પિત છે જે એની પ્રિયતમા છે. જ્યાં જ્યાં જીવનસંગીની સાથે પગલાં પાડ્યાં છે ત્યાં સમજણ સાથે ગેરસમજ ક્યાંક વિચારભેદ થાય છે..અપેક્ષાઘાત થાય છે.
વિવાદ..દલીલ..વિરહ પીડા અસહ્ય થાય છે રહેવાય નહીં સહેવાય નહીં..કહેવાય નહીં એવી સ્થિતિ સર્જાય છે.
વિયોગ સર્જાય છે..હા..પસ્તાવો..વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે…પ્રેમી તેમાં ડૂબકી દઈને પાછો પાક્કો પ્રિયતમ થાય
છે..બંનેની પુનઃ મનોસ્થિતિ સારી થાય છે લાગણીભીના થાય છે…પરતો ખુલે છે પુર્ન મિલન થાય છે..પણ કેવી
રીતે? શા માટે? ક્યાં સંજોગોમાં? કઈ વિચારધારા ? આકાંક્ષા અપેક્ષા બન્નેની એકરૂપ થાય છે..આ મંથનના
અમૃત સ્વરૂપે આ અનોખી સફર નામની નવલકથાનું નિર્માણ થાય છે જેમાં પ્રેમના પાઠ…પરાકાષ્ઠ। જેનો રોબ
ગુરુર માદકતા કોમળતા પવિત્રતા પાત્રતા અને સહજતા માણીએ …
અનોખી સફર…અમાવાસ્યાથી પૂર્ણિમા સુધી..
દક્ષેશ ઇનામદાર